ગુજરાત સરકારઉત્સવપ્રેમી છે. કાંકરીયામાં કાર્નીવલ ઉજવે છે. કાર્નીવલ શબ્દ અંગ્રેજી છે. કાર્નીવલ ખ્રિસ્તી ધર્મનો તહેવાર નથી, પરંતુ મોજીલા ખ્રિસ્તીઓએ શરૂ કરેલી પરંપરા જરૂર છે. કાર્નીવલ શબ્દ વાપરવાથી હિન્દુત્વ અભડાતું નથી. ડાંગમાં નાતાલના દિવસોમાં હિંસાખોરી આચરનારા સંઘપરિવારને અમદાવાદમાં કાર્નીવલ ઉજવાય તેનો વાંધો નથી. કાર્નીવલ યોજવા માટે સમગ્રઅમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિક શાળાઓના બાળકોને કાંકરીયા લાવીનેરંગોળી પુરવાની મજુરીમાં જોતરી દેવામાં આવે છે. આ માટે ખાસ જી.આર. બહાર પાડવામાં આવે છે. બાળકો મફતમાં રંગોળી પૂરે અનેકાર્નીવલ રંગેચંગે ઉજવાય. બાળકોનું શિક્ષણ બગડે તો વાંધો નહીં. કેમકે, મોટાભાગનાબાળકો દલિત-મુસ્લિમ-પછાત જાતિઓના હોય છે. એમણે ભણવાની ક્યાં જરૂર છે? એમના બાળકો ભણશે તો, વાઇબ્રન્ટ ગુજરાતને સસ્તા મજુરોક્યાંથી મળશે?
લેખક સીમા પટેલ
લેખક સીમા પટેલ

No comments:
Post a Comment